મોરબીમાં આ વર્ષે આઈશ્રી સોનલ જન્મોત્સવ મોકુફ રખાયો

- text


મોરબી : મોરબી ચારણ સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે “આઈશ્રી સોનલ જન્મોત્સવ (સોનલ બીજ)” નું આયોજન કરવામાં આવે છે. પરંતુ વર્તમાનમાં કોવિડ-19ની મહામારીને કારણે આગામી સોનલબીજ-૨૦૨૧નું આયોજન મોકુફ રાખવામાં આવ્યું છે. ચારણ સમાજ મોરબીના વરિષ્ઠ આગેવાનો, યુવાનો અને સોનલ જન્મોત્સવ સમિતિ દ્વારા સહમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે. જેની દરેક ચારણ સમાજનાં પરિવારોએ નોંધ લેવા ચારણ-ગઢવી સમાજ – મોરબી અને સોનલ જન્મોત્સવ સમિતિ – મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text