મોરબી જિલ્લા ભાજપ પ્રમુખએ વરિષ્ઠ નેતા સ્વ. અભયભાઈ ભારદ્વાજના નિધન પર શોક વ્યક્ત કર્યો

- text


મોરબી : રાજ્ય સભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ. અભયભાઈ ભારદ્વાજના નિધન પર મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાએ શોક વ્યક્ત કર્યો હતો.

- text

તેમણે યાદીમાં જણાવ્યું છે કે રાજ્ય સભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું ચેન્નઇની હોસ્પિટલમાં અવસાન થતા દુ:ખની લાગણી અનુભવુ છું. અભયભાઈના અવસાનથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એક કુશળ સંગઠક, સારા વક્તા, કાયદાકીય આલમમાં પ્રખર ધારાશાસ્ત્રી, લડાયક નેતૃત્વ કરનાર તેમજ દેશ, ધર્મ, સંસ્કૃતિ માટે હરહમ્મેશ કટિબધ્ધતા ધરાવતા રાષ્ટ્રપ્રેમીને ગુમાવ્યા છે. સ્વર્ગસ્થ અભયભાઈ સૌને સાથે લઈને ચાલનારા સરળ સ્વભાવના વ્યક્તિત્વના ધની હતા. સ્વર્ગસ્થ અભયભાઈના અવસાનથી ભારદ્વાજ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટીએ એક સન્નિસ્ઠ અને સારા નેતા-કાર્યકર્તા ગુમાવ્યા છે. પરમ ક્રુપાળૂ પરમાત્મા સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજના આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના.

- text