- text
CM મોરબી આવ્યા તે વખતે સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવેલ હતા
મોરબી : મોરબીમાં થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગામના રૂટ પરથી પસાર થવાના હતા. તે વખતે સ્પીડ બ્રેકર કાઢી નાખેલ હતા. તે સ્પીડ બ્રેકર ફરીથી બનાવવા બાબતે શકત સનાળા ગામના જાગૃત નાગરિક મનસુખભાઈ સુવારીયા દ્વારા ગામલોકો વતી મોરબીના માર્ગ-મકાન વિભાગ તથા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
- text
આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે જે-તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી શકત સનાળા ગામ પાસેથી પસાર થવાના હતા. તે સમયે રોડની એક સાઇડના ચાર સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા કાઢી નાખવામાં આવેલ હતા. તે સ્પીડ બ્રેકર ફરીથી બનાવી આપવા માગણી છે. જ્યાં સ્પીડ બ્રેકર કાઢી નાખ્યા હતા. તે રોડ ગામની મધ્યમાંથી પસાર થાય છે. રોડ પર સ્પીડબ્રેકર ન હોવાથી ગામલોકોને તથા વાહનચાલકોને ભયંકર અકસ્માત થવાનો સતત ભય રહ્યા કરે છે. આથી, સ્પીડ બ્રેકર ફરીથી બનાવી આપવા અપીલ કરવામાં આવી છે.
- text