મોરબીના ભારત વિકાસ પરિષદ દ્વારા નિઃશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ યોજાશે

- text


મોરબી : સંપર્ક, સહયોગ, સેવા, સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા એક નિઃશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં મોરબીના જાણીતા અને નિષ્ણાંત દંત ચિકિત્સક ડો. ઉત્સવભાઈ દવે તથા અન્ય નિષ્ણાંત તબીબો સેવા આપશે. આ કેમ્પમાં દાંતને લગતી કોઈપણ સમસ્યાઓનું સંપૂર્ણ ફ્રી નિદાન તેમજ સારવાર કરી આપવામાં આવશે.

- text

આ કેમ્પ તારીખ 7/8/2020 શુક્રવારે એકદંત ડેન્ટલ ક્લિનિક, શ્રી રામ ભજીયાની બાજુમાં સાવસર પ્લોટ મેઈન રોડ જૂના બસસ્ટેન્ડ પાસે યોજાશે. કેમ્પનો સમય સવારે 9:00 થી 12:30 સુધીનો રહેશે. મોરબીના લોકોને આ નિદાન તેમજ સારવાર કેમ્પનો બહોળા પ્રમાણમાં જાણકારી આપી કેમ્પનો લાભ લેવા ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા મંત્રી હરેશભાઇ બોપલીયાની યાદીમાં જણાવાયું છે. કેમ્પમાં નામ નોંધાવવા માટે 9529595707 પર સંપર્ક કરવો.

- text