- text
સરકારના નવા નિયમ પ્રમાણે એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી થશે
મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે અને સરકારના નવા નિયમ પ્રમાણે એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી થશે. જ્યારે રજિસ્ટ્રેશન થયેલા બાકીના આશરે 1 હજાર ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
- text
મોરબી જિલ્લામાં અગાઉ ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે રજિસ્ટ્રેશન થયેલા આશરે 1 હજાર જેટલા ખેડૂતો ચણાની ખરીદીમાં બાકી રહી ગયા હતા. આથી, આ બાકી રહેલા ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારના નવા નક્કી થયેલા નિયમ મુજબ એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી કરવામાં આવશે. તેમ મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું હતું.
- text