મોરબીમાં રવિવારે કપાસની ખરીદી માટે રજિસ્ટ્રેશન નહિ થઈ શકે

- text


મોરબી : મોરબી અને માળીયા વચ્ચે વિવિધ અગ્રણીઓની રજુઆતને પગલે સરકાર દ્વારા તાજેતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદી માટે પીપળીયા ચાર રસ્તા પાસે સીસીઆઈ કેન્દ્રને મંજૂર કરવામાં આવ્યું છે અને હાલ પીપળીયા ચાર રસ્તા પાસે સીસીઆઈ કપાસ ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. ત્યારે ટેકાના ભાવે કપાસની ખરીદી માટે ખેડૂતોનું રેજીસ્ટ્રેશન કરવા ત્રણ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે અને આ મોબાઈલ નબરો ઉપર ખેડૂતોનું રજિસ્ટ્રાર થઈ રહ્યું છે. ત્યારે આવતીકાલે રવિવાર હોવાથી કાલે એક દિવસ પૂરતું રજિસ્ટ્રેશન નહિ થાય અને સોમવારથી રાબેતા મુજબ ત્રણ મોબાઈલ નબરો ઉપર જ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થશે. જેની ખેડૂતોએ નોંધ લેવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાની યાદીમાં જણાવાયું છે.

- text