મોરબી : 33% સ્ટાફ સાથે આજથી રેવન્યુ કચેરીનું કાર્ય શરુ થશે

- text


મોરબી : આજે તા. તા. 20/4 થી રેવન્યુ કચેરીના ૩૩ ટકા સ્ટાફની હાજરી સાથે કચેરીની જૂની પેન્ડિંગ કામગીરી પૂર્ણ કરવાનું કામ શરૂ કરવામાં આવશે. જેથી, આવનારા દિવસોમાં ઓફિસ શરૂ કરવાનું સરકાર તરફથી જણાવવામાં આવે ત્યાં સુધીમાં જૂની તમામ પેન્ડિંગ કામગીરી પૂર્ણ થઈ અપડેટ થઈ શકે. અને હાલમાં સર્ચ કે દસ્તાવેજી કામગીરી ચાલુ કરવાનો નિર્દેશ ન હોય, આથી તે થઈ શકશે નહીં. અને હવેની પછીની નવી કંઇ પણ માહિતી આપવામાં આવશે તેની રેવન્યુ પ્રેક્ટિશનરોના ગૃપમાં જાણ કરવામાં આવશે.

- text