મોરબીના યોગેશ પંડ્યા અર્થશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી. થયા

- text


મોરબી : મોરબી નિવાસી અને ધોરી હાઈસ્કૂલ (ભુજ)માં ફરજ બજાવતા યોગેશ વસંતલાલ પંડ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. જે માટે મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડો. આર. કે. વારોતરિયાના માર્ગદર્શન હેઠળ તેમણે ‘ઔદ્યોગિક વિકાસનું અર્થકારણ અને તેને સંલગ્ન પર્યાવરણીય પ્રશ્નો : ગુજરાત રાજ્યના મોરબી શહેરનો એકમ અભ્યાસ’ વિષયથી મહાશોધ નિબંધ તૈયાર કરેલ છે. ઉલ્લેખનીય છે કે તેઓએ જીસ્લેટની પરીક્ષા પણ પાસ કરેલ છે.

- text