- text
મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આયોજિત એક દિવસીય શિવ સંગમ કાર્યક્રમ રવિવારના રોજ મોરબીમાં યોજાઈ ગયો. “નેશન ફસ્ટ કેરેકટર મસ્ટ”ની ભાવના જાગૃત થાય અને સમાજની સજ્જન શક્તિ સંગઠિત થઈ સક્રિય બને એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો.
- text
કાર્યક્રમના અતિથિવિશેષ પદે ડૉ.સતીષભાઈ પટેલ (બાળરોગ નિષ્ણાંત), મુખ્ય વક્તા કલ્પેશસિંહ વાઘેલા (હિન્દૂ જાગરણ મંચ- પ્રદેશ સંગઠન મંત્રી) તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આર.એસ.એસ.ના મોરબી જિલ્લા સંઘ સંચાલક લલીત ભાલોડિયાએ કાર્યક્રમને સફળ બનાવવા સંઘના સભ્યો સહિત જહેમત ઉઠાવી હતી.
- text