મોરબી જલારામ મંદિરમાં આવતીકાલે જલારામ બાપાની પૂણ્યતિથી નિમિત્તે ભજન સંધ્યા યોજાશે

- text


જલારામ ધુન મંડળ મોરબીના ઘનશ્યામભાઈ પુજારા સહીતના અગ્રણીઓ દ્વારા જલારામ બાપાની આરાધના કરવામા આવશે

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેર જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલે તા.૧૮-૨-૨૦૨૦ મહા વદ દશમના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પૂ. જલારામ બાપાની પૂણ્યતિથી નિમિતે ભજન સંધ્યાનુ અનેરુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા મોરબી જલારામ ધુન મંડળના ઘનશ્યામભાઈ પુજારા સહીતના અગ્રણીઓ બાપાના ભજનો દ્વારા આરાધના કરશે. આ તકે રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા શહેરની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text