મોરબીમાં કાલે શનિવારે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં સાસંદ મોહનભાઇ કુંડારીયા તેમજ ભાજપ પરિવાર દ્વારા ગત તા. 11/11/19 થી ઋતુજન્ય રોગ સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક ઊકાળાનુ વિતરણ કરવામા આવેલ હતું. શિયાળો પુરો થતા આવતીકાલે ઉકાળા વિતરણ કેન્દ્રનુ સમાપન કરવામા આવશે. આ કાર્યક્રમને અનુસંધાને મોહનભાઇ કુંડારીયાના કાર્યાલય, સુપર માર્કેટ સામે, શનાળા રોડ ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પનુ અદકેરું આયોજન કરવામા આવેલ છે. આ કેમ્પ સવારે 8 કલાકે શરુ થશે. જેમાં મોરબી તાલુકા ભાજપ દ્વારા મોરબી જીલ્લાના તમામ કાર્યકર્તાઓ તથા શહેરીજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text