ટંકારા : તાજી જન્મેલી બાળકીને મરવા માટે તરછોડી દેનાર નિષ્ઠુર જનેતાની આખરે ધરપકડ

- text


તરછોડી દીધેલી ફૂલ સમાન બાળાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યા બાદ ટંકારા પોલીસે કાર્યવાહી કરી

ટંકારા : ટંકારાના નેકનામ ગામે વોકળામાંથી થોડા દિવસો પહેલા એક તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. આ ફૂલ સમાન બાળાનું થોડા સમય પહેલા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી માસુમને મરવા માટે તરછોડી દેનાર નિષ્ઠુર માતા પ્રત્યે સમાજમા ભારે ફિટકાર વરસ્યો હતો.ત્યારે ટંકારા પોલીસે આ કેસની ગહનતાથી તપાસ કરીને અંતે નિષ્ઠુર જનેતાને ઝડપી લીધી હતી.જોકે તેણી કુંવારી માતા બનતા પોતાનું પાપ છુંપાવવા માટે માસુમને મરવા માટે તરછોડી દીધી હોવાનું પણ ખુલ્યું છે.

- text

ટંકારાના નેકનામ ગામે થોડા દિવસો પહેલા એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત થવાના કેસની ટંકારા પોલીસે સઘન તપાસ ચલાવી હતી.જેમાં ટંકારા પોલીસે આ અંગે અજાણી માતા સામે ગુનો નોંધી તેણીને ઝડપી લેવા જુદા જુદા દવાખાને ગર્ભવતી મહિલા નામ નામો યાદી અને અન્ય વિગતો તપાસવા છતાં કોઇ કડી હાથ લાગી ન હોય મહીલા ફોજદાર એલ બી બગડાની સુચના અનુસાર બિટ જમાદાર ફિરોઝખાન એ અંગત રસ લઈ નેકનામ આજુ બાજુ ના ફેક્ટરી માલિકને ભેગા કરીને અજાણી માતા અંગે માહિતી આપવા જણાવ્યું હતું.આ કેસની બિટ જમાદાર ફિરોઝખાન પઠાણ સઘન તપાસ ચલાવીને તાજી જન્મેલી નવજાત બાળકીને મરવા માટે તરછોડી દેનાર નિષ્ઠુર માતાની અંતે ધરપકડ કરી હતી.પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે ,આ નિષ્ઠુર જનેતા કુંવારી માતા બનતા પોતાનું પાપ છુપાવવા તાજી જન્મેલી માસુમ બાળકીને ત્યજી દીધી હતી.પોલીસે હાલ આ યુવતીની ધરપકડ કરી આ ઘટનામાં અન્યોની સંડોવણી છે કે કેમ ? તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text