માળીયા : માવો ખાવા મામલે પરિણીતાને દંપતી સહિત ત્રણ શખ્સોએ આપી ધમકી

- text


માળીયા : માળીયામાં માવો ખાવા મામલે બોલાચાલી થતા પરિણીતાને દંપતી સહિત ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગૌવરીબેન અશોકભાઈ પરમાર ઉ.વ.૨૫ ધંધો સીરામીકમા નોકરી રહે કુંભારીયા ,માળીયા વાળાએ આરોપીઓ બીપીનભાઈ અરજણભાઈ પરમાર , લતાબેન બીપીનભાઈ પરમાર , નિલેશભાઈ રમેશભાઈ પરમાર રહે બધા કુંભારીયા ,માળીયા મી.વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે , ગત તા.૬ ના રોજ રાત્રે સાડા આઠના સમયે કુંભારીયા ગામે ફરીયાદીને આરોપીઓએ માવો ખાવા બાબતે બોલાચાલી કરી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text