મોરબીમાં સોરઠીયા લુહાર સમાજ દ્વારા શુક્રવારે વિશ્વકર્મા જયંતી ઉજવાશે

- text


મોરબી : મોરબીના સોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા આગામી તા. 7 ફેબ્રુઆરીના શુક્રવારે શ્રી વિશ્વકર્મા જયંતી નિમિતે સમગ્ર સોરઠીયા લુહાર જ્ઞાતિજનો દ્વારા વિશ્વકર્માદાદાની મહાઆરતી, સન્માન સમારોહ તથા સમસ્ત જ્ઞાતિ ભોજનનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા વાડી, સ્વામિનારાયણ મંદિર ગેઇટવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે સમય સાંજે ૪ કલાકે રાખેલ છે. આ શુભ મહોત્સવમાં મોરબી તથા આજુબાજુના ગામમાં વસતા સમગ્ર સોરઠીયા લુહાર સમાજના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

- text