મોરબીના જલારામ મંદિર દ્વારા ઊંધિયાનુ રાહતદરે વિતરણ કરાશે

- text


શહેરના વિવિધ સ્થળોએ એડવાન્સ બુકીંગની વિશેષ વ્યવસ્થા

મોરબી : મોરબીના જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર રજવાડી ઊંધિયાનુ વિતરણ કરવામા આવશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર રજવાડી ઊંધિયાનુ વિતરણ કરવાનુ આયોજન કરવામા આવેલ છે. ઊંધિયુ પ્રતિકીલો રૂ. ૧૦૦ ના ભાવે કન્ટેનર પેકિંગમા ઉપલબ્ધ રહેશે. ઊંધિયુના બુકીંગ માટે જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, દરિયાલાલ આલુ ભંડાર-શાકમાર્કટ, સુરેશ કાપડ ભંડાર-જેઈલ રોડ, હરિશભાઈ દેવકરણભાઈ રાજા-સરદાર રોડ, પોપટ પાન-સામાકાંઠે, ગુડી અમૂલ પાર્લર- સામાકાંઠે, પુજારા સિઝન સ્ટોર્સ-વાવડી રોડ, નુપૂર નમકીન-બાપા સિતારામ ચોક, રાજુભાઈ ગીરનારી-દાણા પીઠ તથા જલારામ પાર્ક, પરમાર ઈલેક્ટ્રોનિક્સ-ગેસ્ટહાઉસ રોડ, પે એન્ડ પ્લે વિડીયો ગેમ (જયંતભાઈ રાઘુરા)- સ્ટેશન રોડ મોરબી ખાતે સંપર્ક કરવો. ઊંધીયાનુ તા.૧૪-૧-૨૦૨૦ ના રોજ સવારે ૮ કલાકથી શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતેથી વિતરણ કરવામા આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય ભક્તજનો માટે સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન રાહતદરે શુધ્ધ ઘીના ડ્રાઈફ્રુટથી ભરપુર મસાલેદાર અડદીયા તેમજ બદામ પાક-ગુંદર પાક નુ પ્રતિવર્ષ વિતરણ કરવામા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ સમગ્ર શિયાળા દરમિયાન દરરોજ તાજા અડદીયા તેમજ બદામપાક-ગુંદરપાકનુ વિતરણ કરવામા આવી રહ્યુ છે. અડદીયા તેમજ અન્ય મિઠાઈ માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી પરંતુ ઊંધીયુ મેળવવા માટે એડવાન્સ બુકીંગ અનિવાર્ય હોય, બુકીંગ માટે ઉપરોક્ત સ્થળે સંપર્ક કરવા માટે અપીલ કરાઈ છે.

- text