મોરબીમાં નાગરીકતા સંશોધન બિલના સમર્થનમાં શનિવારે કલેકટરને આવેદન

- text


મોરબી : હાલમાં દેશભરમાં સી.એ.એ. અને એન.આર.સી.નો લોકો પોતાના સ્વાર્થ કે રાજકીય ઈશારે અમુક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ અન્ય લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવે છે. તથા વિરોધ દ્વારા સમાજમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરવામાં આવે છે.

- text

આવા માહોલમાં ખરેખર આ બિલમાં જે સુધારો થયો છે, તે રાષ્ટ્રના દરેક નાગરિક માટે લાભદાયી છે તથા તેમાં રાષ્ટ્ર હિત સમાયેલું છે. તેવી હકીકત સામે લાવવા માટે આ બિલના સમર્થનમાં ‘સંવિધાન બચાવો મંચ – મોરબી’ના નેજા હેઠળ મોરબીની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રમુખ કાર્યકર્તાઓ તથા સમાજના અન્ય લોકોને સાથે જોડીને મોરબી કલેકટર ઓફિસએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આગામી તા. 21 ડિસેમ્બરના રોજ બપોરે ૪ આપવામાં આવશે.

- text