તરઘરીમાં ઉમિયા સોસીયલ ગ્રુપ દ્વારા રવિવારે સ્નેહમિલન

- text


મોરબી : તરઘરીમાં ઉમિયા સોસીયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 22 ડિસેમ્બરના રોજ રવિવારે સાંજે 6-30 કલાકે ગોકુલ ફાર્મ, પાણીની ટાંકીની બાજુમાં રવાપર-ઘુનડા રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 3-30 કલાકે દીપ પ્રાગટ્યથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. જેમાં સ્વાગત ગીત તથા સ્વાગત પ્રવચન રજુ કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રોફેસર ડો. શારદાબેન જાવિયા ઉપસ્થિત રહી વક્તવ્ય આપશે. સાંજે 6-30 કલાક બાદ રાસ-ગરબા તથા વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ તકે ગ્રુપના તમામ સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text