મોરબીના ઘુંટુ ગામમાં મંગળવારે મહારાણા પ્રતાપ નાટક યોજાશે

- text


મોરબી : મોરબીના ઘુંટુ (જનકપુર) ગામમાં રામજી મંદિર ચોક ખાતે બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા. 12 નવેમ્બરના રોજ મેવાડનો ઇતિહાસ દર્શાવતું નાટક ‘મહારાણા પ્રતાપ યાને કી મેવાડી તલવાર’ તથા ખડખડાટ હસાવે તેવા કોમિકના કાર્યક્રમનું આયોજન રાત્રે 9-30 કલાકે કરવામાં આવ્યું છે. આ તકે બજરંગ યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text