અનાથ મૃતક ભિક્ષુકની અંતિમવિધિ કરતા પંચમુખી ટ્રસ્ટના સભ્યો

- text


મોરબી : મોરબી રેલવે સ્ટેશન પાસે ભિક્ષાવૃત્તિ કરીને જીવન વ્યતીત કરતા એક વ્યક્તિનું આજે સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું હોવાની જાણ થતાં મોરબીના સામાજિક કાર્યકરોએ હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી મૃતકની અંતિમક્રિયા કરી હતી.

- text

મોરબી રેલવે સ્ટેશન પાસે ભિક્ષાવૃત્તિ કરી જીવન બસર કરતા દીપકભાઈ રાણાનું બીમારી સબબ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું હોવાની જાણ થતાં મોરબીના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા અને પંચમુખી ટ્રસ્ટના સભ્યોએ મૃતકના નાની ઉંમરના ચાર બાળકોને સાથે રાખીને મૃતકની હિન્દૂ રીત-રિવાજ મુજબ અંતિમક્રિયા કરી હતી. મૃતક દીપકભાઈના પત્નીનું પણ એક વર્ષ પહેલાં અવસાન થયું હતું. આમ હાલ તો તેઓના ચાર બાળકો નોંધારા બન્યા છે.

- text