મોરબી : સેનામાંથી નિવૃત થઈને વતન પધારેલા જવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

- text


મોરબી : મોરબીના પંચાસરના પરાક્રમસિંહ ઝાલા સેનામાંથી નિવૃત થતા તેમના ગામમાં ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગ્રામજનોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કરીને બહુમાન કર્યું હતું. મોરબીના પંચાસરના વતની પરાક્રમસિંહ જગતસિંહ ઝાલા વર્ષ 2003થી ભારતીય સેનામાં જોડાયા હતા. તેઓએ પોતાની 17 વર્ષની કારકિર્દીમાં સિક્કિમ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ફરજ બજાવી ચુક્યા છે. તેઓ નિવૃત થઈને વતન પધાર્યા હોય સમસ્ત પંચાસર ગામ દ્વારા તેઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text