નાનાભેલા ગામે કાવર પરિવારનું સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ નાનાભેલા ગામમાં કાવર પરીવારના સુરાપુરા દાદા શ્રી રાજા બાપાના સાનિધ્યમાં સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાનાભેલા, સરવડ, લક્ષ્મીવાસ, ખેવારિયા, બીલીયા, મહેન્દ્નનગર, મોરબી જેવા અલગ અલગ શહેર અને ગામમાં વસતા કાવર પરિવારના તમામ સભ્યોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કાવર પરીવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ગામમાં કાવર પરિવારના સુરાપુરાના મંદિરે સેવા આપતા સેવાભાવી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાવર પરિવારના વડીલો દ્વારા પ્રસંગને અનુરૂપ આશીર્વચનો પણ આપવામાં આવ્યા હતા. અંતમાં અન્નકુટના પ્રસાદનો લાભ સૌએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામભાઈ કાવર – સરવડ, હેમતભાઇ – નાનાભેલા, મગનભાઇ – મંત્રી, સીરીષભાઇ – મોટા દહિસરા, પ્રાણજીવનભાઇ કાવર – લક્ષ્મીવાસ અને કાવર પરિવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text