હજનાળી ગામના બાળકોએ પોકેટ મનીમાંથી પદયાત્રીઓ માટે શરબત વિતરણ કર્યું

- text


મોરબી : નવરાત્રી નિમિત્તે કચ્છમાં માતા આશાપુરાના મઢે જતા પદયાત્રિકો માટે પદયાત્રાના માર્ગમાં ઠેર-ઠેર સેવાભાવી મંડળો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હજનાળી ગામમાં બાળકોએ માતા-પિતા પાસેથી પોતાને મળતી પોકેટ મનીના પૈસા બચાવીને પદયાત્રીઓને હોંશભેર શરબત વિતરણ કર્યું હતું. ભૂલકાઓ દ્વારા શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું તે જોઈને પદયાત્રીઓએ પણ હરખભેર સેવાનો લાભ લઇ બાળકોને આશીર્વાદ આપ્યા હતા.

- text