ચરાડવામાં પીએમના જન્મદિવસ નિમિત્તે કાલે મંગળવારે આયુર્વેદ નિદાન કેમ્પ

- text


મોરબી : ચરાડવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

- text

આવતી કાલે 17 સપ્ટેમ્બરના રોજ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ દવાખાનું સુસવાવ, હળવદ, સાપકડા તથા રણમલપુર દ્વારા સરકારી કુમાર શાળા, ચરાડવા ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પનો સમય સવારે 9 વાગ્યાથી 12 સુધીનો રહેશે. જેમાં નિષ્ણાતો પોતાની સેવા નિઃશુલ્ક આપશે. આ કેમ્પનો લાભ લેવા માટે જરૂરિયાતમંદ દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text