મોરબીના ખાખરેચીનો શખ્સ વાંકાનેરની સગીરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ

- text


વાંકાનેર : મોરબીના ખાખરેચી ગામનો શખ્સ વાંકાનેરની સગીરાનું અપહરણ કરી ગયો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ખાખરેચી ગામે રહેતા વિનોદભાઈ બચુભાઇ ધામેચા નામના શખ્સે તા.25ના રોજ જડેશ્વરના મેળામાંથી વાંકાનેરની સગીરાને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની સગીરાના પિતાએ આજે વાંકાનેર સિટી પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શખ્સ વિરુદ્ધ પોકસો સહિતની કલમો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text