મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા ગઈકાલ તારીખ 21ને રવિવારે મોરબી તથા માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સેતુબંધ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સ્વ. મગનભાઈ સંઘાણીની પુણ્ય સ્મૃતિમાં યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં એમ.એસ., એમ.ડી., હાડકા, દાંત, આંખ, કાન, નાક, ગળા, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ચામડી, ડાયાબિટીસ જેવા રોગોના નિષ્ણાંત ડોક્ટરો ઉપરાંત ફિઝિશિયન દ્વારા પણ સેવા આપવામાં આવી હતી.

- text

આ કેમ્પનો લાભ 1256 જેટલા લોકોએ લીધો હતો. આ કેમ્પમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથી, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, રામજીભાઈ રબારી, રાજુભાઈ કાવર, અમુભાઈ હુંબલ અને પુષ્પરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text