મોરબીના જેતપર રોડ પર ક્રેઇન હડફેટે વૃધ્ધનું કરુણ મોત

- text


મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે આજે સવારે ક્રેઇન ફરી વળતા વૃધ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ક્રેઇન ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર ગામે રહેતા ગણેશભાઈ પરમાર નામના વૃદ્ધ આજે સવારે પોણા દશ વાગ્યાના સુમારે જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે કોઈ વાહનની રાહ જોઇને ઉભા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતા જી.જે 5 સી.ઇ.6876 નંબરનું ભારેખમ ક્રેઇન વાહનના ચાલકે વૃદ્ધને હડફેટે લેતા આ ભારેખમ વાહનના તોતોગ વહીલ તેમના માથા પર ફળી વળતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.બાદમાં મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બનાવ અંગે મૃતકના પુત્ર સુરેશભાઈ ગણેશભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ક્રેઇન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text