મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યા પ્રકરણમાં પાંચમો આરોપી ઝડપાયો

- text


મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યા પ્રકરણમાં પાંચમો આરોપી ઝડપાયો

મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યા નિપજાવનાર તેના જ ભત્રીજા સહિતના ચાર આરોપીઓને અગાઉ ઝડપી લીધા બાદ આજે પાંચમો આરોપી સામેથી હાજર થતા પોલિસે તેની વિધિવત ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ખોડિયાર ટ્રાવેલ્સના માલિક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની ગત તારીખ 2 ના રોજ તેના જ સગા ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ રાણા, મુકેશ ઉર્ફે મુકલો ભરવાડ તથા એક સગીર સહીત કુલ છ શખ્સોએ મળીને હત્યા કરી હતી. આ બનાવ બાદ પોલીસે ચારેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. બાદમાં આરોપીઓને ત્રણ દિવસના રીમાન્ડ પર લઈને હત્યા સંબધિત ખૂટતી કડીઓ વિશે માહિતી મેળવવા સઘન પૂછપરછ હાથ ધરી હતી.દરમ્યાન આજે આ હત્યા પ્રકરણમાં ફરાર રહેલો આરોપી મનીષભાઈ ઉફે કુમાર હર્ષદરાય કપાસી આજે સામેથી પોલીસ મથકે હાજર થતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી.જોકે હજુ આ હત્યાના ગુનામાં ફરાર રહેલા છઠ્ઠા આરોપીને પોલીસે ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text