મોરબીમાં ડો. બાબાસાહેબની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી

- text


 

મોરબી : મોરબીમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.

- text

મોરબીમાં આજે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૨૮મી જન્મજયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રા સ્ટેશન રોડ , સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, નહેરુગેટ ચોક, શાક માર્કેટ ચોક થઈને ગાંધી ચોક ખાતે વિરામ પામી હતી. આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકોએ જોડાઈને જય ભીમના ગગનભેદી નારા પણ લગાવ્યા હતા.

- text