મોરબીમાં સાત દિવસીય મહાભારત કથાનું આયોજન

- text


મોરબી : મોરબીના શકત શનાળામાં આવેલી પટેલ સમાજની વાડીમાં તારીખ 15ને શુક્રવારથી તારીખ 21ને ગુરુવાર સુધી સાત દિવસીય મહાભારત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય વકતા સતશ્રી સંસ્કૃતાચાર્ય છે.

સમાજમાંથી દુર્ગુણો દૂર થાય, માતૃભક્તિ, પિતૃભક્તિ, ગુરુભક્તિ તથા દેશભક્તિ વિકસે તેવા હેતુથી આ મહાભારત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાભારતને પાંચમો વેદ કહેવાય છે. આ કથાનો સમય રાત્રે 9:00 થી 11:30નો રહેશે. આ મહાભારત કથા સતશ્રી વિડીયો પ્રેસન્ટેશનના માધ્યમથી કહેશે। આ મહાભારત કથાનો લાભ લેવામાટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાં

ચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text