- text
મોરબી : હળવદ માર્કેટ યાર્ડ સામેથી સગીરાનું અપહરણ કરીને ભગાડી જવાના કેસમાં આરોપી સહિત મદદગારી કરનાર અન્ય ૬ ઇસમોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
હળવદ માર્કેટ યાર્ડ સામેથી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જવાના કેસમાં ફરિયાદના આધારે ભરત મેલાભાઈ તેમજ મદદગારી કરનાર નિકુલ રતિલાલ, વિલાસબેન મેલાભાઈ, કિશન મેલાભાઈ, વિજય મેલાભાઈ સહિતના કુલ ૬ સામે ગુનો નોંધાયેલ હતો.
- text
આ કેસ મોરબીની પોકસો કોર્ટમા ચાલી જતા ફરિયાદી પક્ષ પાસે પૂરતા પુરાવા ન હોવાથી ધારાશાસ્ત્રી જે.એ.ઓઝા તથા ડેનિમ ઓઝાની ધારદાર દલીલના આધારે ન્યાયમૂર્તિ એમ.કે.ઉપાધ્યાયે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
- text