- text
વાંકાનેર : વાંકાનેરમાં ભિક્ષા માંગવા નીકળેલી પરણીતા તેની પુત્રી સાથે ગુમ થઈ ગઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.વાંકાનેર પોલીસે બન્ને માતાપુત્રીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.
- text
વાંકાનેર પોલીસ મથકેથી આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ ફારૂક મસ્જિદ પાસે રહેતી જેતુનબેન રફાઈ ઉ.વ.22 તેની બે વર્ષની પુત્રી મરિયમ સાથે ગત તા.4 ના રોજ ભિક્ષા માંગવા ગઈ હતી અને ત્યાંથી જ કોઈને કહ્યા વગર પરિણીતા તેની પુત્રી સાથે નીકળી ગઈ હતી.ત્યારબાદ તેણીનો પતો ન લાગતા તેના પતિ સદામભાઈ રફાઈએ પત્ની અને પુત્રીની ગુમસુદા નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.
- text