વાંકાનેર : ચાલુ બસે આગ લાગતા દાઝેલા મહિલા મુસાફરે દમ તોડ્યો

- text


રાજકોટની મહિલા ગંભીર રીતે દાઝી ગયા બાદ સારવાર દરમ્યાન મોત નીપજ્યું

વાંકાનેર : વાંકાનેર બાઉન્ટરી ટોલનાકા પાસે થોડા દિવસો પહેલા ચાલુ લકઝરી બસમાં આગ લાગતા રાજકોટની મહિલા મુસાફર ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના નાનામવા રોડ પર આવેલ લક્ષમણધામ સોસાયટી શેરી નંબર 1માં રહેતા નીતાબેન ભાવેશભાઈ ખૂટ ઉ.વ.38 નામના મહિલા જી.જે.14 ઝેડ 1400 નંબરની લકઝરી બસમાં બેસીને ગત તા.16ના રોજ કોઈ કામસર વાંકાનેર તરફ આવી રહ્યા હતા.આ બસ વાંકાનેર બાઉન્ટરી ટોલનાકા પાસે પહોંચી ત્યારે બસમાં અકસ્માતે આગ લાગી હતી.આ આગમાં મહિલા મુસાફર નીતાબેન ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text