મોરબીમા 25મીએ મધ્યભોજન યોજનાના કર્મચારીઓનું સ્નેહમિલન

- text


મોરબી : મોરબી તાલુકા મધ્ય ભોજન યોજનાના સંચાલકોનું સ્નેહમિલનનુ તા.25ને મંગળવારે સવારે 9થી12 વાગ્યા દરમ્યાન શ્રી અગનેશ્વર મહાદેવ મંદિરે એલ ઇ કોલેજ રોડ મોરબી 2 ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મધ્ય ભોજન યોજનાના મોરબીના નાયબ કલેકટર તથા મામલતદાર તેમજ રાજ્ય મધ્યભોજન કર્મચારી મહામંડલના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા અને મહામંત્રી હસુભાઈ જોશી ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા મધ્ય ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડિયા, તથા આ યોજનાના તાલુકા પ્રમુખ બળવંતભાઈ સનાળિયા ઉપપ્રમુખ પોપટભાઈ મિયાત્રા , લાભુભાઈ સુરેલા ,મહામંત્રી ચન્દ્રકાંતભાઈ વ્યાસ સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ત્યારે આ સ્નેહમિલનમાં મોરબી તાલુકા મધ્ય ભોજન યોજનાના દરેક કર્મચારીઓને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.

- text