મોરબી ખવાસ રજપૂત સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા

- text


મોરબી : મોરબી ખવાસ રજપૂત સમાજ દ્વારા છઠ્ઠા સમુહલગ્નનું આયોજન કરાયું હતું જેમાં પાંચ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબી ખવાસ રજપૂત સમાજ દ્વારા છઠ્ઠા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ જેમાં પાંચ નવદંપતિઓએ મહેમાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં પાડયા હતા,આ પ્રસંગે બહારગામના ખવાસ રજપૂત સમાજના આગેવાનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને રામધન આશ્રમના ભાવેશ્વરીબેને આશીર્વચન પાઠવ્યા હતા.

આજના પ્રસંગે મોરબીના શ્રેષ્ઠીઓ રાજકીય મહાનુભાવો અને ભાજપ અગ્રણીઓએ હાજરી આપી હોવાનું મોરબી ખવાસ રજપૂત સમાજના પ્રમુખ ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું.

- text

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text