અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મોરબીમાં શિવસેના દ્વારા મહાઆરતી

- text


મોરબી : મોરબી શિવસેના દ્વારા અયોધ્યાના રામમંદિરના નિર્માણ માટે ભગવાન શ્રીરામ ની મહાઆરતી કરવામાં આવી હતી અને અયોધ્યામાં વહેલી તકે રામ મંદિર નું નિર્માણ થાય તે માટે શિવસૈનિકોએ પ્રાર્થના કરી હતી.
મોરબીમાં શિવસેના દ્વારા સ્ટેશન રોડ પર આવેલ ઢક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ભગવાન શ્રી રામચંદ્ર ની મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં શિવસૈનિકો એ જણાવ્યું હતું કે હિન્દુત્વ માટે યોગદાન આપનાર શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે ના પાથ પર તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે પણ આગળ વધીને હિન્દુત્વની રક્ષા કાજે તથા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે તેઓ અયોધ્યા જવાના છે તેથી અયોધ્યામાં વહેલી તકે રામમંદિર નું નિર્માણ થાય અને ઉદ્ધવ ઠાકરે ની અયોધ્યામાં યાત્રા સફળ રહે તથા તેમનો હેતુ સિદ્ધ થાય તે માટે આજે અહીંયા શિવસૈનિકો દવારા મહાઆરતી કરી ને શ્રી રામની પ્રાર્થના કરવામાં આવી હતી.

 

- text