વાંકાનેરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

- text


વાંકાનેર : વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતી સગીરાનું એક શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના કુંભારપરામાં રામાપીરના મંદિર પાસે રહેતી એક સગીરાનું સાગર પ્રેમજી રોજસરા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text