મોરબીમાં નિત્યાનંદ સોસાયટી ખાતે આયોજિત મહોત્સવમાં ગણેશજીને છપ્પન ભોગ ધરાવાયો

- text


મોરબી : મોરબીની નિત્યાનંદ સોસાયટી ખાતે સિદ્ધિ વિનાયક ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશજીને છપ્પન ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો.

મોરબીના સામાકાંઠે આવેલ નિત્યાનંદ સોસાયટીમાં સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ભગવાન ગણેશજીને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જેમાં ૩૧ કિલો જેટલો લાડવાનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. આ તકે મોટી સંખ્યમાં ભાવિકોએ દર્શનાર્થે ઉમટી પડીને ધર્મલાભ લીધો હતો.

- text

- text