- text
ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસને હરખથી વધાવતા ભાવિકો
વાંકાનેર : આજે જન્માષ્ટમીના દિવસે સવારે ૯ કલાકે ફળેશ્વર મહાદેવના મંદિરે સાધુ સંતો અને ભક્તોની હાજરીમાં વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજીએ પૂજનવિધિ બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવેલ
- text
આ શોભાયાત્રામાં કૃષ્ણ રથની સાથે અલગ-અલગ વાહનો સણગારી શોભાયાત્રાને આકર્ષક બનાવેલ. આ શોભાયાત્રા ભરવાડ પરા, માર્કેટ ચોક, મેઈન બજાર, ગ્રીન ચોક અને જીનપરામાં ભ્રમણ કરેલ. ભક્તિમય વાતાવરણમાં હનુમાન શેરી મિત્ર મંડળ દ્વારા શરબત અને ફરાળી સાબુદાણા નો પ્રસાદ આપવામાં આવેલ.ગ્રીન ચોક ખાતે વાંકાનેર ના ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદા દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ.
- text