મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવમહારુદ્રાઅભિષેક કરાયો

- text


મોરબી : મહારુદ્ર યુવક મંડળ દ્વારા સામાકાંઠા વિસ્તારમા આવેલા અગ્નેશ્વર મહાદેવના મંદિરે આજે શિવમહારુદ્રાભિષેકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. બહોળી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને આ ધર્મલાભ લીધો હતો.

જેમા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા મહાદેવજીની મહાપૂજા મોરબીના જાણીતા પ્રખર વિદ્વાન આચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે દિપકભાઈ બોરીચા, ધમેન્દ્રભાઈ વાઢેર, પ્રતિકભાઈ સુરાણી, પ્રતીક ત્રિવેદી, રણજીતસિંહ રાણા, જયદીપ પ્રજાપતિ, સાગર વાઘેલા, નિનાદ ગોસ્વામી, રાજેશભાઈ, ગઢવીભાઈ વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે ભાવિક ભકતો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.

- text

- text