રામધન આશ્રમ મોરબી ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

- text


વ્યાસપૂજા, પોથીપૂજા અને ભાવવંદના કરતા ભવિકજનો

મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સેંકડો ભાવિક ભકતજનો હાજર રહ્યા હતા.

- text

ગુરુપૂર્ણિમા અવસરે આજે સવારથી રામધન આશ્રમ મોરબી ખાતે વ્યાસપૂજા, પોથીપૂજા, કુમારિકા ભોજન, સત્સંગ સહિતના આયોજનો કરાયા હતા તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.

આજના આ પ્રસંગે રામધન આશ્રમ ખાતે સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાવવંદના સહિતના કાર્યક્રમોમાં સહભાગી બની ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરી હતી.

- text