- text
વ્યાસપૂજા, પોથીપૂજા અને ભાવવંદના કરતા ભવિકજનો
મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સેંકડો ભાવિક ભકતજનો હાજર રહ્યા હતા.
- text
ગુરુપૂર્ણિમા અવસરે આજે સવારથી રામધન આશ્રમ મોરબી ખાતે વ્યાસપૂજા, પોથીપૂજા, કુમારિકા ભોજન, સત્સંગ સહિતના આયોજનો કરાયા હતા તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.
આજના આ પ્રસંગે રામધન આશ્રમ ખાતે સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાવવંદના સહિતના કાર્યક્રમોમાં સહભાગી બની ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરી હતી.
- text