મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના ૨૦૦ છાત્રોને કરાયા સન્માનિત

- text


મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના કે.જી.થી કોલેજ સુધીના ૨૦૦ છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સમાજના કેજી થી કોલેજ સુધીના ૨૦૦ છાત્રોને શિક્ષણ કીટ, શિલ્ડ, મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સમાજના દીકરા અને દીકરીઓને વધુને વધુ સારું શિક્ષણ આપવા તથા વ્યસનને તિલાંજલિ આપવાની હાંકલ કરી હતી.

- text