મોરબીમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે શુક્રવારે રોજગાર મેળો

- text


જાણીતા ઔદ્યોગિક એકમો તેમજ કંપનીઓ ઉમેદવારોનું સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લઈને પસંદગી કરશે

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે આગામી તા.૨૨ને શુક્રવારના રોજ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત ઔદ્યોગિક એકમો તેમજ કંપનીઓ ઉમેદવારોનું સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લઈને પસંદગી કરશે.

મોરબીના રવાપર રોડ પર વી માર્ટ પાસે ઘનશ્યામ આરકેડમાં આવેલ પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે આગામી તા. ૨૨ ને શુક્રવારના રોજ ૧૦ થી ૫ દરમિયાન રોજગાર મેળો યોજાનાર છે. આઈ.સી.એ. એજ્યુ.સ્કિલ પ્રા.લી., પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર અને મોરબી જિલ્લા રોજગાર કચેરીના સયુંકત ઉપક્રમે આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જાણીતા ઔદ્યોગિક એકમો તેમજ કંપનીઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે બાદમાં તેઓની પસંદગી કરવામાં આવશે. આ રોજગાર મેળાનો લાભ લેવા નોકરી ઇચ્છુક યુવાનોને પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના મેનેજર ભાવિનભાઈએ અનુરોધ કર્યો છે. વધુ વિગત માટે મો.નં. ૭૪૮૭૦ ૭૬૩૭૪ ફોન નં. ૦૨૮૨૨ ૨૨૨૩૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text