- text
મોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે બાઇક રેલી નિકળી હતી. આ બાઈક રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ મહારાણા પ્રતાપ ચોક ખાતે રેલી વિરામ પામી હતી. જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભાવાંજલી પાઠવવામાં આવી હતી.
- text
મહારાણા પ્રતાપની જન્મ જયંતિના અવસરે આયોજિત બાઈક રેલીનું શકત શનાળાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ યુવા સંગઠન ,રાજપૂત કરણી સેના, મોરબી રાજપૂત સમાજ , બજરંગ દળ ,શિવ સેના ,હિંદુ એકતા સેના અને મહાકાલ ગ્રુપ-સતવારા સમાજ સહિતના સંગઠનો જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ મહારાણા પ્રતાપ ચોક, હાઉસિંગ ખાતે રેલીનું સમાપન થયું હતું. ત્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાને અગ્રણીઓએ ફુલહાર અર્પણ કર્યા હતા.
- text