મોરબીમાં ટ્રક ડ્રાઇવરનું વિજશોકથી મોત

- text


મોરબી: મોરબીના માળીયા પાસે આવેલી હોટલ નજીક ટ્રક પાર્ક કરીને ટ્રક ઉપર સૂતેલા ડ્રાઇવરે ભૂલથી વિજ લાઈન અડી લેતા વીજ શોક લાગવાથી તેનું મોત નીપજ્યું હતું.

પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ કચ્છના નખત્રાણાના ટ્રક ડ્રાઇવર કાનુભા જાડેજાએ ગત રાત્રે પોતાનો ટ્રક મોરબીની માળીયા ફાટક પાસે આવેલી વસુંધરા હોટલ નજીક પાર્ક કર્યો હતો. ટ્રક પાર્ક કરીને ટ્રક ડ્રાઇવર ટ્રકની કેબીન ઉપર સુતા હતા. તે વેળાએ જીવિત વિજલાઈનને અડી જતા તેઓને વિજશોક લાગ્યો હતો અને તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટનાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text