મોરબીની નવજીવન વિદ્યાલયમાં ૨૧મીએ સંગીત સંધ્યાનો કાર્યક્રમ

- text


મોરબી: મોરબીની નવજીવન વિદ્યાલયના પ્રાંગણમાં આગામી શનિવારના રોજ એક શામ શૂર કે નામ સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવજીવન વિદ્યાલયમાં આગામી તા. ૨૧ને શનિવારના રોજ રાત્રે ૮ કલાકે એક શામ શૂર કે નામ સંગીત સંધ્યા યોજાશે. જેમાં શહેરના પ્રખ્યાત સંગીત શિક્ષકો અને સંગીતજ્ઞો ભજન, લોકગીત અને ગઝલોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં પધારવા શાળા પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

 

- text