મોરબીમાં સોમવારે ગૌરક્ષા બાઇક રેલીનું આયોજન

- text


વીરદાદા જશરાજ સેનાની સ્થાપના : વીરદાદા જશરાજ શૌર્ય દીન નિમિતે ગૌરક્ષા બાઈકરેલી યોજાશે

મોરબી : વિરદાદા જસરાજ શોર્યદિન નિમીતે આગામી તા.૨૨ ને સોમવાર સાંજે-૪ કલાકે મોરબી ખાતે ગૌરક્ષા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ દિવસે મોરબી ખાતે વિરદાદા જસરાજ સેનાની સ્થાપના કરવામાં આવશે.

ગુજરાત ગૌરક્ષા દળ પ્રમુખ તથા ઓફીસર ઓફ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા મયુરભાઈ ઠક્કર, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના સ્થાપક પ્રમુખ સ્વ.રસિકલાલ અનડકટ ના સુપુત્ર કેયુરભાઈ અનડકટ, ગૌરક્ષક તથા સુરભી ગૌશાળા આમરણના સંચાલક અને સામાજીક આગેવાન મનોજભાઈ પનારા સહિતના આગેવાનો હાજર રહી રેલીને પ્રસ્થાન કરાવશે.

- text

આ બાઈક રેલી જડેશ્વર મંદીરથી શરૂ થઈ સુપર ટોકીઝ, પરાબજાર, નેહરુગેઈટ, શાકમાર્કેટ, ગાંધીચોક, વસંતપ્લોટ-શનાળા રોડ, અયોધ્યાપુરી રોડ, જલારામ મંદીર ખાતે પૂર્ણ થશે રેલી બાદ જલારામ મંદીર અયોધ્યાપુરી રોડ ખાતે શસ્ત્ર પુજન તેમજ વીર દાદા જશરાજ સેનાની સ્થાપના થશે ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે.

જેથી શહેરની તમામ ધર્મપ્રેમી જનતા ને દરેક કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા વીરદાદા જશરાજ સેના- મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.

- text