- text
મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા ભરવાડ યુવાને માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ લેતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસીપરામાં ચાર ગોડાઉન નજીક રહેતા રામાભાઈ કાનજીભાઈ ભરવાડ ઉ.૨૫ નામના યુવાને આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાત મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text
- text