નુરાની કમિટી સુન્ની વાધપરા દ્વારા રવિવારે ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ

- text


નિદાન કેમ્પમાં જુનાગઢના હકીમ એમ.આઈ.કાદરી સેવા આપશે

મોરબી:આગામી તારીખ ૨૬ને રવિવારે મોરબીના મદરેસા એ નુરાની કબીર ટેકરી ખાતે જૂનાગઢના હકીમ એમ.આઈ.કાદરીનો ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

નુરાની કમિટી સુન્ની વાઘપરા દ્વારા આગામી તા.૨૬ ને રવિવારના રોજ તમામ ધર્મના લોકો માટે ગેસ્ટિક, એપેન્ડિસ, પથરી, હરસ, જૂની શરદી, માથાનો દુખાવો, ડાયાબિટીઝ સહિતના દર્દોની વિનામુલ્યે આયુર્વેદિક નિદાન સારવાર માટે મદરેસા એ નુરાની, કબીર ટેકરી, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કેમ્પનું આયોજન કર્યું છે જેમાં જૂનાગઢના નિષ્ણાત હકીમ એમ.આઈ.કાદરી દર્દીઓને તપાસશે.

તો આ કેમ્પનો લાભ લેવા આયોજક મૌલાના અબાસી સલીમ બાપુ, હનીફભાઈ અજમેરી,બશિરખાન પઠાણની યાદીમાં જણાવાયું છે.

 

- text