મિતાણા-ગણેશપર રોડ ઉપર કાર હડફેટે માસુમ બાળકનું મૃત્યું

- text


ટંકારા : મિતાણા-ગણેશપર રોડ ઉપર કાર હડફેટે માસુમ બાળકનું મૃત્યું નીપજ્યું હતું. જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારાના ગણેશપર ગામે ખેતિમજૂરી કામ કરતા પરીવાર

- text

નો લાડકવાયો છીનવાઈ ગયો હતો.
બનાવ અંગે મળતી વિગતો મુજબ ગણેશનગર વાળા ભગવાનજીભાઈ ભાગીયા ના ખેતરે રહી મજુરી કામ કરતા ગોરધન કલસીંગ અજનારાઠ આદિવાસીનો પુત્ર કેતન ઉ.વ.6 ગઈકાલે વાડીની બાજુના રોડ પર રમતો હતો ત્યારે પુરપાટ વેગે આવતી ફોર વ્હીલના ચાલકે ઠોકર મારતા માસુમ બાળક ફગોળાઈ ને જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને સારવાર મળે તે પહેલાંજ માસુમ નુ મોત નીપજ્યું છે જયારે વાહનચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો.
નેકનામ ઓપી. પોલીસ ના ચંદુભાઈ બાબરીયા એ અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

- text