મવડા નાબુદીની જાહેરાત નૌટંકી : રમેશ રબારી

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતિના ઉપપ્રમુખ રમેશ રબારીએ મવાડા નાબુદીની ભાજપની જાહેરાતને નોટંકી ગણાવતા જણાવ્યું હતું કે મોરબીમાં મવડાનો પહેલેથી જ વિરોધ રહેલ છે જે અતિ આક્રોશમાં પરિણમી સરપંચ એસો.દ્વારા ધારણા અને આમરણાંત આંદોલન કરાયા જેના પગલે રાજ્ય સરકાર દ્વારા માવડા નાબુદી કરવા નિર્ણય લીધેલ. મોરબીના ત્રણ ગામો વજેપર,માધાપર અને ત્રાજપરને બાકી રાખી કુલ છત્રીસમાંથી તેત્રીસ ગામને માવડામાંથી મુક્તિ આપેલ, ત્યારે આ વિસ્તારના તમામ મતદારો એક જ સતવારા સમાજના હોઈ તેઓની લાગણી જીતવા માટે આગાઉથી આયોજિત કાર્યક્રમ મુજબ તેઓએ છેલ્લા દિવસોમાં સતવારા સમાજને સાથે રાખી એક મોટી રેલી યોજી જીલ્લા કલેકટર મારફત આવેદન અપાવેલ અને ત્યારબાદ તાજેતરમાં પોતે રાજ્ય સરકાર સમક્ષ માંગણી સ્વીકારી મવડામાંથી મુક્તિ અપાવ્યાનો દેખાવ કરેલ છે પરંતુ વાસ્તવિકતા અલગ છે.આ ત્રણ ગામને માવડામાંથી મુક્તિ માટે સતવારા સમાજ સાથે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ માંગણીના આવેદનો આપેલ પરંતુ હાલના રાજકીય માહોલમાં પાટીદાર સમાજના અસંતોષ માટે પોતાના રાજકીય ભાવી નિર્માણ માટે ફરી વખત રેલી કઢાવી નાટકીય ઢબે મુક્તિની જાહેરાત કરાવેલ છે.

- text

- text